શુક્રવાર, 10 જુલાઈ, 2026

સચોટ અને મક્કમ નિર્ણયશક્તિવાળા મહારથીઓ

 

સચોટ અને મક્કમ નિર્ણયશક્તિવાળા મહારથીઓ

---------------------------------------------------------------------------------------------------------------------------

માણસ પોતાના મનનાં પાવર અને નિર્ણયશક્તિથી મુઠ્ઠી ઊંચેરો માનવી બને છે. સામાન્ય જન કરતાં તેમની નિર્ણય લેવાની શક્તિ સચોટ અને મક્કમ હોય છે, તેથી જ તેમના લક્ષ્ય સફળતાપૂર્વક પાર પાડે છે. માનવીની શારીરિક તાકાત કે ધનની તાકાત કરતાં સહુથી વધારે ઉપયોગી છે, તેની માનસિક તાકાત અને મક્કમ નિર્ણયશક્તિ. આવા કેટલાક મહાનુભાવોના કાર્યો પરથી આપણને પણ નિર્ણયશક્તિ મજબૂત બનાવવાની પ્રેરણા મળશે.

૧) મહાત્મા ગાંધીજી :- બિલકુલ સુકલકડી શરીર, સામાન્ય દેખાવ, બિલકુલ દંભ વગરના સામાન્ય માણસ રાષ્ટ્રપિતા અને મહાત્મા બની ગયા, ફક્ત તેમની મક્કમ અને સચોટ નિર્ણયશક્તિની મદદથી.

નાનપણથી તેમની નિર્ણયશક્તિ કેટલી સચોટ અને મક્કમ હતી, તે જોઈએ. નાના મોહન ને શાળા જીવનમાં બીડી પીવાની ટેવ પડી ગઈ, બીડીના ઠૂંઠા, ફેંકી દીધેલાં મળે તો ઠીક, નહિતર બીડી ખરીદવાના પૈસા ક્યાથી લાવવા? એમાં ને એમાં તેમણે પોતાનું સોનાનું કડું કપાવી દેવાના પૈસા ચુકવ્યા. પછી તેમને બહુ પસ્તાવો થયો, અરે રે ! મેં ખોટું કામ કરી દીધું, મારે પિતાને જણાવવું પડશે, પણ જણાવવું કેવી રીતે ? તેમનો નિર્ણય સચોટ અને મક્કમ હતો. તેથી અંતે એક ચિઠ્ઠી લખી, પોતાની ભૂલોનો એકરાર કરતાં રડી પડયા. પિતાશ્રી પણ કાગળ વાંચતા રડી પડ્યા, અને પુત્ર મોહનને ખરા પસ્તાવા બદલ માફી આપી.

દક્ષિણ આફ્રિકાની ટ્રેનની સફરમાં તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, પણ ચેકરે તેમને ગોરા ન હોવાથી સામાન સાથે ડબ્બામાંથી ઉતારી મૂક્યા. ગાંધીજીએ આ અન્યાય સામે લડવાનો નિર્ણય કરી લીધો. તે આખી રાત સ્ટેશન પર બેસી રહ્યા, અંતે તેમના સત્યાગ્રહનો વિજય થયો. અંગ્રેજોએ તેમને ફર્સ્ટ ક્લાસ માં બેસાડી મુસાફરી કરાવી દીધી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો આ પહેલો વિજય હતો.

ફોરેનમાં બેરિસ્ટર થઈ ને આવ્યા પછી તેમને વકીલ તરીકે સારી આવક થાત, પણ તેમણે ભારતની ગુલામી સામે લડવાનો નિર્ણય કરી દીધો અને આજીવન આશ્રમમાં રહી લડતા રહ્યા. તેમના અનેક નિર્ણયો અસહકાર આદોલન, દાંડી કુચ, હિન્દ છોડો ચળવળ વગેરે એટલા મક્કમ અને અસરકારક હતા કે છેવટે અંગ્રેજોએ ભારતને આઝાદી આપવી જ પડી. આટલી બધી સફળતા અને મહેનત પછી તેમનો નિર્ણય તો જુઓ, કોઈ પણ ઉચ્ચ હોદ્દાની ખેવના વગર ફક્ત પોતડીભેર લોકોની સેવા કરતાં રહ્યાં અને મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બની ગયા. જોયોને સચોટ અને મક્કમ નિર્ણયશક્તિનો ચમત્કાર !!!

(૨) ભગવાન શ્રીરામ - પિતા દશરથના વરદાન અને વચનને કારણે પાટવી કુંવર શ્રીરામને રાજગાદીને બદલે ચૌદ વર્ષનો વનવાસ થયો. રામ નો નિર્ણય અફર હતો. તેના બંધુ ભરતે પરત ફરવા ખૂબ સમજાવ્યા, પણ વચન એટલે વચન અને નિર્ણય એટલે નિર્ણય. રામ પરત ફરી રાજગાદીને બદલે ૧૪ વર્ષ વનવાસનો તેમનો મક્કમ નિર્ણય પૂરો કરીને જ રહ્યા.

વનમાં સોનેરી મૃગ જોઈ સીતાજી લલચાઈ ગયાં અને તે મેળવવા જીદ કરી. રામને તે જીદ પૂરી કરવા જવું પડ્યું, પણ લક્ષ્મણને સીતાની સંભાળ સોંપી રામ મૃગ પાછળ દોડ્યા. લક્ષ્મણને પણ કપટથી દોડાવી રાવણે સીતાનું હરણ કર્યું. રામને ખોટી લાલચ અને નિર્ણય બદલ અફસોસ થયો. પણ બનવાકાળ આગળ કોનું ચાલે છે ? લાલચમાં લીધેલા નિર્ણયથી ભગવાનને પણ પસ્તાવું પડે તો આપણી તો શું વિસાત !

રામે સીતા વગર પરત ફરવાને બદલે તેને શોધી કાઢી પછી જ આયોધ્યા પરત ફરવાનો નિર્ણય કર્યો. અનેક મુશ્કેલીઓ, યાતનાઓ વગેરેનો સામનો કરી રાવણને હરાવી સીતાજી સાથે જ અયોધ્યા પરત ફર્યા. એક ધોબીનાં કહેવાથી તેમણે સીતાજીનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો અને તેમાં અફર રહ્યા. ચરિત્ર ઉપરના સામાન્ય પ્રજાના આક્ષેપે રામને આ કઠોર નિર્ણય લેવા મજબૂર કર્યા. આમ ભગવાન રામ છેક સુધી પોતાના નિર્ણયોમાં મક્કમ રહી દુઃખ અને યાતનાઓ ઝેલતા રહ્યા.

(૩) લોખંડી પુરુષ સરદાર પટેલ - સરદાર વલ્લભભાઈ પટેલ તેમની મક્કમ અને સચોટ નિર્ણય શક્તિથી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા. નાનપણમાં તેમને પરું ભરેલો મોટો ફોલ્લો થયો હતો પણ પોતાની મક્કમ નિર્ણયશક્તિથી જાતે જ ગરમ લોખંડના સળિયાથી ફોડી નાખ્યો. શાળાનાં શિક્ષકે સજારૂપે બસ્સો પાડા લખવા કહ્યું, તો વલ્લભભાઈએ મક્કમ નિર્ણયથી અન્યાયરૂપી સજાનો સામનો કરતાં કહ્યું, “સાહેબ, બસ્સો પાડા તો લાવ્યો હતો, પણ એક ભડક્યો તેથી બધાં ભાગી ગયા”.

સરદાર વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની લડાઈમાં જોડાવા તેમણે વકીલાત છોડવાનો નિર્ણય કરી લીધો. ચાલુ કેસ લડતાં તેમનાં પત્નીનાં મૃત્યુનો તાર આવ્યો, તો ખિસ્સામાં મૂકી કેસ લડતા રહ્યા. આવી મક્કમ હતી તેમની નિર્ણયશક્તિ.

ભારત આઝાદ થયું, બધાં કોગ્રેસીઓનો મત તેમને વડાપ્રધાન બનાવવાનો હતો, પણ ગાંધીજીએ નહેરુજીને પસંદ કરી તેમને નાયબ વડાપ્રધાન બનાવ્યા. તેમણે આ નિર્ણય પણ માથે ચડાવ્યો. એક પછી એક રાજાઓને સ્વતંત્ર ભારતમાં ભેળવી તેમણે મહાન લોકશાહી રાષ્ટ્રની સ્થાપના કરી. જુનાગઢના નવાબ અને હૈદરાબાદનાં નિઝામને પણ પોતાની અડગ નિર્ણયશક્તિથી ઝુકાવી ભારતમાં ભેળવી દીધા. આજનું મહાન લોકશાહી ભારત સરદાર પટેલની આ મક્કમ અને સચોટ નિર્ણયશક્તિને ભૂલી શકે તેમ નથી.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.