ચિંતા અને તણાવ, એક સિક્કાની બે બાજુ- તફાવત સમજો
ચિંતા અને તણાવ, આ બે લાગણીઓ એક સરખી જ લાગે છે. આમ તો બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા લાગે છે પણ તે બંનેમાં રહેલો તફાવત જાણીને સમજવા જેવો છે. જયારે ચિંતા વધી જાય છે અને લાંબી ચાલે છે ત્યારે શરીરમાં તણાવ થવા લાગે છે અને જયારે તણાવનાં કારણો દૂર થઇ જાય પછી પણ કોઈ વખત કોઈ માણસને ચિંતા રહ્યા કરે છે. તણાવથી અંતે ચિંતા થાય છે. એટલે કે બંનેને સાવ જુદા પાડવા અશક્ય છે, જાણે કે એમ જ લાગે કે એક જ લાગણીના બે નામ છે.
બંનેનાં શારીરિક લક્ષણો પણ એક જેવાં જ છે, બંને અણગમતા અને જીવન બગાડી નાખનારા છે.
ચિંતા મનમાં ઉદ્દભવતો ડર અને બીકની લાગણી છે, જે શરીર કરતા મનમાં વધુ દેખાય છે. જેમ કે, રોજીંદા જીવનમાં નોકરીએ જતા બસ કે ટ્રેન મળશે કે નહિ તેની ચિંતા, ઓફિસમાં સમજ ના પડે તેવા કામની ચિંતા, બાળકો સ્કૂલે પહોંચી ગયા હશે કે નહિ તેની ચિંતા, આમ વિવિધ ચિંતાઓ મનમાં રહ્યા જ કરે છે. ચિંતા બહારના ખરાબ કારણોના વિચારમાત્રથી થાય છે, પરંતુ કોઈ વખત વિના કારણ થઈ જાય છે. તેનાં મુખ્ય લક્ષણોમાં બેચેની, રઘવાટ, નબળાઈ, હૃદયના ધબકાર વધે, શ્વાસનો દર વધે, ઊંઘ ના આવે વગેરે મુખ્યત્વે જણાય છે.
આ એક સંરક્ષનાત્મક પ્રતિક્રિયા છે જે સજીવો ની જિંદગી બચાવવા જરૂરી છે. આ તણાવની ક્રિયા દરેક સજીવોમાં વત્તેઓછે અંશે જોવા મળે છે. તેને લીધે હૃદયના ધબકાર વધી જવા, બી.પી. વધી જવું, શ્વાસ વધી જવો. વાળ ઊભા થઈ જવા, ચહેરો લાલ થઈ જવો, વગેરે અનેક લક્ષણો જોવા મળે છે. જે લગભગ ચિંતાનાં લક્ષણો જેવાં જ છે.
બંનેને સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. બાર વરસના કરસનને ગામડામાં કૂતરા જોડે તોફાન કરવાની ખરાબ આદત હતી. તેના કાકાને એક દિવસ અચાનક કૂતરો કરડી ગયો અને મહિના પછી કાકાને હડકવાનાં લક્ષણો જણાવાં લાગ્યાં. સાજાસમા કાકાને હોસ્પિટલમાં દાખલ કર્યા, તોય બધાને કરડવા દોડતા હતા તેથી બાંધીને રાખવા પડતા હતા. અંતે તેમને ખેંચ ઉપડી અને તેઓ મૃત્યુ પામ્યા.
આ બધું જોઈ કરસન સહેમી ગયો. હવે તેને કૂતરા જોડે રમવાની ચિંતા થવા લાગી, મને પણ હડકવા થશે તો ? અને તે કૂતરાથી દૂર રહેવા લાગ્યો, આ એક સારી પ્રતિક્રિયા હતી જે ફક્ત કૂતરાના કરડવાની બીકથી જ પેદા થઈ હતી પણ તેની જિંદગી માટે ઉપયોગી હતી. આમ અમુક ચિંતા થવી ઉપયોગી નીવડે છે.
અચાનક એક રાત્રે તે એકલો સીમમાંથી ઘેર આવતો હતો ને ડાઘિયો કૂતરો ભસતો તેની સામે કરડવા આવ્યો. અચાનક હુમલાથી તેના મનમાં એકદમ તણાવ પેદા થયો. તેનું મન ત્વરિત ગતિએ વિચારવા લાગ્યું. લાવું કે ભાગી જવું; અને તેણે ભાગવાનો નિર્ણષ લઈ લીધો. તણાવને લીધે તેના સ્નાયુઓ તંગ થયા, લોહીનું પરિભ્રમણ વધી ગયું, દોઠવામાં ગતિ આવી ગઈ. તેની ઝડપ પ્રવિયા કરતાં ધ વધી ગઈ અને તે દોડતો, દોડતો પોતાના ઘરમાં ઘુસી ગયો.
તેને પોતાને નવાઈ લાગી કે મારાથી આટલું ઝડપથી દોડવાનું કઈ રીતે થયું? આમ સામે દોડતો આવતો કૂતરો તેના મનની બીક નહિ પણ વાસ્તવિકતા હતી અને તેને લીધે બચાવ માટે થયેલી પ્રતિક્રિયા તણાવ હતી. આમ તણાવ ખરેખર તો સામે આવેલી ઘાતક કે નુકસાનકારક વાસ્તવિકતાને પડકારતી કુદરતી પ્રતિક્રિયા જ છે.
હવે બીજું સુંદર ઉદાહરણ જોઈએ. હોશિયાર મનોજને આખું વરસ રખડી ખાવાની અને ફલર્ટ કરવાની ખરાબ આદત હતી. ફાઈનલ વર્ષમાં પરીક્ષાની તારીખો જાહેર થતા તે ચિંતામાં પડી ગયો, જો કાંઈ લખીશ નહીં તો હું ફેઈલ જઈશ એવી ચિંતામાં તે વાંચવા મંડી પડ્યો. આમ આ ચિંતા તેને માટે ફાયદાકારક હતી. ચિંતામાં ને ચિંતામાં તેની ઊંઘ ઓછી થઈ ગઈ, ભૂખ ઘટી ગઈ પણ કોર્સ પૂરો થાય તેમ નહોતું. આમ ફક્ત પરીક્ષા અને તેના પરિણામની ચિંતા મનમાં જ પેદા થઈ હતી. તેનાથી માંડ અડધો જ કોર્સ પૂરો થયો. તેણે વિચાર્યું, પડશે તેવા દેવાશે અને અડધું, પેપરમાં ન આવડતું ઓપ્શનમાં કાઢી નાખીશ.
આમ ચિંતા મનમાં ઉદભવતા વિચાર માત્રની આંતરિક પ્રક્રિયા છે જે માનવ જેવા ઉચ્ચ કક્ષાના સજીવોમાં જ જોવા મળે છે અને તેને અટકાવી શકાય છે.
જ્યારે તણાવ જિંદગીને નુકસાનકારક બાહ્ય પરિબળોનો શરીર દ્વારા અપાતો પ્રત્યાઘાત છે જે નીચલી કક્ષાના સજીવોમાં પણ વત્તાઓછા અંશે જોવા મળે છે. આમાં ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંત “યોગ્યતમૂની ચિરંજીવતા' દેખાઈ આવે છે. જે સજીવ, જીવ બચાવી આગળ વધે છે તે પેઢી દર પેઢી સારાં જીન્સ અલગ વધારીને ચિરંજીવ બની જાય છે.
જીવની લડાઈમાં ફક્ત બે જ વિકલ્પો હોય છે, લડો કે ભાગી છૂટો. આ તણાવ સજીવને લડવા કટિબદ્ધ કરી, ગર્જના કરતા, ફૂંફાડા મારતા કે હુમલો કરતા કરી દે છે.
આમ અમુક અંશે થતી ચિંતા અને તણાવ ફાયદાકારક નીવડે છે પરંતુ મગજ જયારે કારણ વગર ચિંતા કરવા લાગે કે પછી નાની બાબતોની વધારે પડતી ચિંતા કરવા લાગે તો તે નુકસાન કરે છે અને અંતે તણાવમાં પરિણમે છે. તેવી જ રીતે કુદરતી પ્રતિક્રિયાઓમાં જોવા મળતો તણાવ અમુક અંશે ફાયદાકારક છે પરંતુ કારણ પૂરું થઇ જાય કે પછી કોઈ પણ કારણ વગર ચિંતા કરી, તણાવ પેદા થવા લાગે તો અંતે તે નુકસાન જ કરે છે.
ચિંતા માનસિક હોવાથી કેટલીક વખત મગજ ખોટા વિચારે ચડી જાય અને ચિંતા કરવા લાગે તો લાંબે ગાળે તણાવ પેદા થાય છે. કેટલાક માણસો તણાવનાં કારણો દૂર થઇ ગયા પછી પણ તેની ચિંતા કર્યા જ કરે છે. બધા લોકોને આફતરૂપ પરિસ્થિતિ પછી ચિંતા રહ્યા જ કરે તેવું નથી.
માણસ તણાવનો ઉકેલ કઈ રીતે લાવે છે, તેનો આધાર મગજનાં રસાયણો અને વારસાગત પરિબળોને આધીન છે. જેમને મગજના અગ્રભાગમાં ચેતાબંધનો સુંદર રીતે વિકસિત હોય તેમને ખોટી ચિંતા ઓછી થાય છે.
આ ઉપરાંત ચિંતા અને તણાવ વારસામાં ઊતરી આવતા, કુટુંબોમાં અનેક માણસોમાં જોવા મળી શકે છે.
લાસ્ટ સ્ટ્રોક; સારવાર માટે ચિંતા અને તણાવ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. જો તમે ફક્ત ચિંતાથી જ અસરગ્રસ્ત છો અને તણાવગ્રસ્ત નથી તો સારવારમાં સુંદર પરિણામોની તકો ઉજ્જવળ છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો