સોમવાર, 11 મે, 2026

ગુસ્સાને ઓકી કાઢતા એંગર સેન્ટરો

 

ગુસ્સાને ઓકી કાઢતા એંગર સેન્ટરો

-----------------------------------------------------------------------------------------------------------------------------

આજના ફાસ્ટ, રોબોટ, અને નેટના જમાનામાં માનવીનો ગુસ્સો અને ક્રોધ વધતા જ જાય છે. નાની મોટી બાબતે ઝઘડા, બોલાચાલી, મારામારી અને ગાળાગાળી સામાન્ય થઈ ગયા છે. ગરમ પ્રદેશમાં મગજનો પારો ઊંચો જ રહેતો હોય, તેમાં સહેજ અન્યાય જેવું લાગે, અપમાન થાય કે ધારેલું ના થાય કે તરત જ માનવ મન ઉકળીને ગુસ્સે થઈ ગાળાગાળી અને મારામારી પર ઊતરી આવે છે. નાની નાની બાબતોથી હથિયારો ઉછળે અને મારામારી જેવા બનાવો સામાન્ય છે.

વાદ વિવાદ ચાલુ સાદી પિન કે પેન માટે ચાલુ થયો હોય પણ ગુસ્સો અને ક્રોધ તેને વકરાવીને એટલો ખરાબ અને ભયંકર બનાવી દે છે કે એકાદ માનવીનું ખૂન થઈ જાય છે. છાપામાં સમાચાર આવે છે કે, “પેન માટેની લડાઈમાં ખૂન" આપણને નવાઈ લાગે છે કે પેન જેવી નજીવી બાબતમાં ખૂન થઈ ગયું ? પણ પછી ઊંડાણમાં ઉતરતા ખબર પડે છે કે પેનની લડાઈ તો નિમિત્ત માત્ર હતી પણ મૂળમાં બંને માણસોને એકબીજા પ્રત્યે ગુસ્સો અને ક્રોધ ઉકળતા હતા તે પેન નિમિત્તે બહાર આવી ગયા.

રમતોમાં પણ ખેલાડીઓ જીતી જવાના, મેડલ મેળવવાના જોશમાં ખૂબ ઉત્તેજિત બની રમતા હોય છે જરાક અન્યાય થતો લાગે કે હારતા લાગે એટલે તેમના મનમાં ગુસ્સો ઉકળવા લાગે છે. ખોટી રીતે આઉટ આપેલ છે, તેવું લાગતાં ખેલાડીઓ સ્ટમ્પ લઈ મારવા જતાં કેટલાય દાખલા મોજૂદ છે. જ્યાં ઉન્માદ છવાય, ત્યાં હંમેશાં લોકો ઉત્તેજિત હોય છે અને જરા જેટલી ભૂલ કે હારને પચાવી શકતા નથી. ગુસ્સો અને ક્રોધ પછીથી લડાઈ-ઝઘડામાં પરિણમે છે.



ગુસ્સો અને ક્રોધ મનમાં ઠાંસી ઠાંસીને ભરેલા હિન્દી પિક્ચરમાં હીરોને ક્રોધમાં આવીને સંવાદ બોલતો બધાએ જોયેલો છે, “કુત્તે, કમીને તુઝે છોડુંગા નહીં' અને સામેવાળા વિલન અને તેના ગુંડાઓનો કચ્ચરઘાણ વાળી દે છે. તે જોઈ ઓડિયન્સ તાળીઓથી ઝૂમવા લાગે છે. તેમાં પણ વિલનને મારીને, હિરોઈનને છોડાવીને હીરો પરત ફરતો હોય, તે સીન પર પ્રેક્ષકો તાળીઓ પાડીને ઝૂમવા લાગે છે. આપણને સવાલ થાય કે શું બદલો લેવાથી ક્રોધ શાંત થઈ જશે ?

એંગ્રી યંગમેન તો વળી ક્રોધમાં, તેની માતાને કંઈ નુકસાન પહોંચતાં મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિને ભાંડે છે. રાડારાડી કરે છે. પ્રેક્ષકોના દિલ હચમચી ઊઠે છે. ભગવાન સામે પણ પોતાનો ક્રોધ વ્યક્ત કરી લોકોના દિલ જીતી લેવાની આવડત ડાયરેક્ટર અને હીરોને નામ કમાવડાવે છે.

પ્રેમમાં હતાશ અને નિરાશ થયેલા પ્રેમી તો અંગે ગુસ્સો અને ક્રોધ વ્યક્ત કરતાં ગાઈ ઊઠે છે.

યે દુનિયા યે મહેફિલ મેરે કામકી નહીં, મેરે કામ કી નહીં.

દુનિયા અને તમામ વસ્તુઓને ઠુકરાવીને હીરો સન્યાસી બની જાય છે. તો બીજો પ્રેમી વળી હિરોઈન ના મળવાથી અને તેના લગ્ન બીજા સાથે થઈ જવાથી ગાઈ ઊઠે છે. કહેદો કોઈ ના કરે યહાં પ્યાર, ઇસમેં ખુશીયા હે કમ, બેસુમાર હૈ ગમ.’” જાણે કે તેની દુનિયા જ લૂંટાઈ ચૂકી છે. ગુસ્સા અને દર્દથી હૃદય રડી ઊઠે છે.

વાસ્તવિક દુનિયામાં પણ જયારે પ્રેમિકા પોતાના પ્રેમીને કોઈ કારણસર છોડી દે છે, કે બ્રેકઅપ થઈ જાય છે. ત્યારે ગુસ્સા અને ક્રોધના આવેગમાં પ્રેમી તેના ચહેરા પર એસિડ નાખે છે કે પછી એકાંતમાં બોલાવી બળાત્કાર કરી નાખે છે. આ ગુસ્સા અને ક્રોધની ખૂબ જ નકારાત્મક કહાની છે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ કરવાને કુટુંબની આબરૂના કાંકરા ઉછાળનાર તરીકે ગણવામાં આવે છે. તેથી જો પોતાની બહેન કે દીકરીને તેના બોયફ્રેંડ સાથે જોઈ જાય તો, ગુસ્સા અને ક્રોધમાં એના પપ્પા કે ભાઈ ફટકારે છે, રૂમમાં પૂરી દે છે અને સજારૂપે કૉલેજ છોડાવી દે છે.

ગુસ્સામાં અને ક્રોધમાં આવીને ખૂન, એસિડ ફેંકવો, કે બળાત્કાર જેવા ગુના સામાન્ય બનતા ગયા છે. આખી જાતી કે ધર્મ પ્રત્યે પણ ગુસ્સો વ્યક્ત કરવા કોમી તોકાનો અને અંધાધૂંદ ગોળીબાર થતાં જણાય છે.

આમ ઘરમાં, સમાજમાં, કોમમાં કે દેશમાં રહેલા ગુસ્સાને, ક્રોધને શાંત કરવાની જરૂર વર્તાઈ રહી છે. તેને માટે જરૂરી છે. ગુસ્સો અને ક્રોધને ઓકી શકાય તેવા કેન્દ્રો અને સેમિનારની. યોગ મેડિટેશન, પ્રાણાયામ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્લાસીસ, વર્કશોપ કે સેમિનાર આમાં સારી મદદ કરતાં જણાયા છે.

આટલા બધા ગુસ્સા અને ક્રોધ માટે જવાદાર આપણામાં રહેલી અસહિષ્ણુતા, અદેખાઈ, ઈર્ષા, ધીરજનો અભાવ અને માલિકીભાવના છે. જેમ જેમ સુખના, સગવડના, આરામના સાધનો વધતાં ગયાં અને ટેકનિક વિકસતી ગઈ તેમ તેમ આપણાં ઈર્ષા અને અદેખાઈ વધતાં ગયાં. પહેલાં તો કુટુંબમાં સાઇકલ હોવી ગર્વ ગણાતું, સ્કૂટર તો સ્ટેટ્સ સિમ્બોલ હતું. તેને બદલે હવે દરેક મધ્ય વર્ગના ઘરમાં પણ કાર સામાન્ય બની ગઈ છે. સાથે સાથે ઈર્ષા અને અદેખાઈ વધતાં ગયા છે.

મારી પાસે નાની મારુતિ જ છે અને પેલા રાજુ પાસે આવડી મોટી બી.એમ.ડબલ્યુ. કાર ક્યાંથી આવી ? તેનો પગાર તો મારા કરતાં પણ ઓછો છે, નક્કી તેણે પૈસા ખાઈને લાંચના પૈસા બનાવી મોટી ગાડી લીધી છે. આ ઈર્ષા અને અદેખાઈ પછી તેના મનમાં ગુસ્સો અને ક્રોધ ભરી દે છે. પછીથી નાની બોલાચાલીમાં, વાદવિવાદમાં મનમાં રહેલો ગુસ્સો બહાર આવી મારામારી પર ચડી જવાય છે. હાથમાં જો હથિયાર હોય તો ઈજા, ખૂન જેવા ગુના થતાં વાર નથી લાગતી.

આપણી માલિકીભાવના અને અસહિષ્ણુતા એટલા વર્ષા ગથા છે કે, આપણી ગર્લફ્રેંડને બીજા કોઈ છોકરા સાથે વાતચીત કરતાં જોઈએ તો કંઈ પણ ખુલાસા કર્યા વગર મારામારી પર કે બ્રેકઅપ પર ઉતરી આવીએ છીએ. જો ક્રોધની માત્રા વધી જાય તો છોકરીના મોં ઉપર ઍસિડ નાખતા પણ અચકાતા નથી.

ધ્યાન, મેડિટેશન અને યોગાથી મન શાંત થઈ ગુસ્સો અને ક્રોધ નરમ પડે છે. તેના સેમિનાર, વર્કશોપ વગેરે ફાયદાકારક છે. છતાં બધાંને તેની ધારી અસર થતી નથી. મનમાં ઉચાટ અને દબાયેલો ક્રોધ રહ્યા જ કરે છે. તેને લખીને વર્ણન કરીને કાગળમાં કેદ કરી ફાડી નાખવાનો આઇડિયા પણ સારો છે. પણ તે જ ઘડીએ મનમાં સળગી રહેલો ક્રોધ અને ગુસ્સો બહાર કાઢવા હવે પશ્ચિમના દેશોમાં પૈસા આપીને ઍગર સેન્ટરો કે રેજ સેન્ટરો ખૂલવા લાગ્યા છે.

કેનેડાના વાનકુવરમાં ગયા વર્ષે આવું પહેલું રેજ સેન્ટર ખુલ્યું. પછી અમેરિકાના મિશિગનમાં, મેડિસન હાઇટ્સમાં, લોસએંજેલીસ અને સાનફ્રાન્સિસ્કોમાં પણ હવે આ ટ્રેન્ડ ફેલાતો જાય છે. ચીનમાં પણ આવા અનેક એંગર રૂમો ખૂલી રહ્યા છે.

ગુસ્સો અને હતાશા ઠાલવવાના આ સેન્ટરોની સેવા પૂરી પાડવાની પદ્ધતિ જાણવાની મજા આવે તેવી છે. સરેરાશ ૨૦થી ૨૫ ડૉલર એટલે કે આપણા ૧૪૦૦થી ૧૬૦૦ રૂપિયાની ટિકિટ લઈ જે તે ક્રોધિત વ્યક્તિને એંગર રૂમમાં પ્રવેશ આપવામાં આવે છે. આ રૂમમાં વ્યક્તિના મગજનો પારો ઊંચો થતો જાય તેવું સંગીત રેલાતું હોય અને બાજુમાં હથોડી, હોકી, બેટ, હથોડો વિગેરે સ્ટેન્ડ પર પડેલા હોય છે. વ્યક્તિને ગુસ્સામાં જે ઉપાડવું હોય તે ઉપાડી શકે છે. આ વ્યક્તિને ઈજા ના થાય તે માટે ખાસ કપડાં, ગોગલ્સ, હેલ્મેટ અને બૂટ પણ ત્યાંથી જ આપવામાં આવે છે. વ્યક્તિને પોતાનો ગુસ્સો ઉતારવા સામે જૂના ટીવી, કમ્પ્યૂટર, પીપડા, રમકડાં, મૂર્તિઓ, પુરુષ, સ્ત્રી અને બાળકના પૂતળાં વિગેરે રાખેલા હોય છે. આવેલ વ્યક્તિ પોતાનો ક્રોધ શાંત થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓનો કચ્ચરઘાણ વાળતો રહે છે. બાજુમાં એક ખૂલી બારી પણ હોય છે. જેમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ બહાર ફેંકી ક્રોધ શાંત કરી શકાય.

બીજા રૂમમાં તે ક્રોધિત વ્યક્તિને બળાપો કાઢવા માટે ગંદીગાળો બોલવી હોય, થપ્પડ મારીને ગુસ્સો કાઢવો હોય કે પછી ક્રોધ શમાવવા સામેની વ્યક્તિનું ગળું દબાવવા માગતો હોય તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા વય જૂથના પુરુષ-સ્ત્રીના ઢીંગલા રાખવામાં આવેલ હોય છે. તેના પર જોર અજમાવી વ્યક્તિ પોતાનો ગુસ્સો શાંત કરે છે. આવા સેન્ટરોની મદદથી અનેક છૂટાછેડા, આત્મહત્યાના, નોકરી જવાના કેસો સુધરતાં જણાયા છે અને હત્યાઓ થતી અટકી છે. તેવો સેન્ટરોના માલિકોનો દાવો છે.

આમ ખૂન કા બદલા ખૂનનો હિસાબ પતાવી ગુસ્સા અને ક્રોધનું શમન કરાય છે. આને બદલે વ્યક્તિમાં સહિષ્ણુતા, ધીરજ, હકારાત્મક વિચારો જગાડી, કુટુંબ જોડે બેસી હળવી પળો વિતાવે, કળા, સાહિત્ય, સંગીત વગેરે વિકસાવી ૨૦ થી ૩૦ મિનિટ ધ્યાનમાં બેસી ગુસ્સા અને ક્રોધનું શમન કરે તે સારું કે નહીં, તે વિચારવા જેવું છે.

ગુસ્સો અને ક્રોધ મનમાં અને મનમાં જ રહ્યા કરે તેને બદલે કોઈ પણ રીતે બહાર નીકળી જાય અને તેનું શમન થઈ જાય તે વધુ સારું છે. અન્યથા વ્યક્તિ ક્રોધમાં અને ક્રોધમાં સળગ્યા જ કરે અને કોઈ અનૈતિક કે ગુનાખોરીનું કામ કરી નાખે તેમાં નવાઈ નથી.

અગાઉના 'ભુલ ભુલૈયા' મૂવીમાં અક્ષયકુમાર હીરો તરીકે, મનોચિકિત્સક હોય છે અને હિરોઈન વિદ્યાબાલન ડાન્સર હોય છે. આગલા જનમમાં તેની ઉપર રાજાએ અન્યાય અને અત્યાચાર કરેલો હોવાથી વિદ્યાનો ગુસ્સો, આ જનમમાં ભભૂકતો હોય છે. તે દરરોજ રાત્રે બીક લાગે તેવા ડાન્સ કરતી હોય છે. તેની સારવારના ભાગરૂપે હીરો તેની અચેતન અવસ્થામાં રાજાના પૂતળાને ગોઠવી તલવારથી તેના કકડા કરાવી નાંખે છે અને પછી હિરોઈનના ક્રોધનું શમન થાય છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

રવિવાર, 10 મે, 2026

ગુસ્સો શાંત કઈ રીતે કરવો ?

 ગુસ્સો શાંત કઈ રીતે કરવો ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

કોઈ પણ વાતચીતમાં, દલીલોમાં કે વ્યવહારમાં માણસોને ગુસ્સો આવે છે, પણ આ વખતે ગુસ્સો કે ક્રોધ ના આવે ત્યારે શું કરવું જોઈએ, તે જાણી લીધા પછી એ જાણવું જરૂરી છે કે, એક વખત ગુસ્સો આવી ગયો હોય, પછી તેને શાંત કેમ કરવો ? આ વખતે ક્ષણિક આવેગ આવી જાય અને મન ગુસ્સો કરવા લાગે ત્યારે, શાંત રહી, તે જગ્યા છોડી દઈ, મનને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

અધર્મનો નાશ કરવા દરેક યુગમાં ભગવાન જન્મે છે. પણ તેનો નાશ કરવા ગુસ્સો તો જોઈએજ. આમ ભગવાનમાં પણ ગુસ્સો તો હોય છે જ. હનુમાનદાદાને લંકામાં કેદ કર્યા, ત્યારે મનમાં બહુ જ ગુસ્સો હતો, તેમણે ગુસ્સામાં લંકા બાળવાનું શરૂ કર્યું, પણ તેનો કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યો. અશોક વાટિકા અને વિભિષણનું ઘર છોડીને જ તેમણે બધું બાળવાનો પ્રયત્ન કર્યો. કેમ ? કારણકે તેમને ખબર હતી કે, ક્રોધમાં કોનો નાશ કરવો અને કોનો બચાવ કરવો. આમ ગુસ્સો અને ક્રોધ વ્યક્ત કરતી વખતે પણ બધીજ બાબતો ધ્યાને લેવી પડે છે.

૧. ઝઘડા કે વિવાદની જગ્યા છોડી દો. પછીથી બીજા જ રૂમમાં જઈ થોડો સમય કંઈ જ ના કરો. શાંતિથી વિચારીને મનને શાંત કરો. આને મી ટાઈમકહેવામાં આવે છે. પોતે પોતાનામાં જ ખોવાઈ જાવ. આ વખતે વિવાદ બાબતે કોઈ નિર્ણય ના લો, તે હંમેશાં ખોટા અને સામી પાર્ટીને વેર લેવાના જ હશે. બની ગયેલ પ્રસંગ કે વાતચીતને યાદ જ ના કરો. જે થવાનું હતું તે થઈ જ ગયું છે, પછી તેનો હરખ શોક શા માટે? (શ્રીમદ્ભાગવત ગીતા)

૨. મનમાં ભગવાનને યાદ કરો. આ અઘરું છે, એક તો ઝઘડાને લીધે મન આવેગયુક્ત અને ગ્લાનીથી ભરેલું હોય, ત્યારે ભગવાન ક્યાંથી યાદ આવે ? પ્રયત્ન કરવાથી આ અશક્ય નહીં લાગે. મનમાં કે મોટેથી પ્રાર્થના કરવા લાગવાથી મન ભગવાનમાં ઓટોમેટિક ડાયવર્ટ થશે. સાથે સાથે પૂજા, અર્ચના અને આરતી કરવા લાગવાથી શરીરના બીજા અંગો પણ તેમાં જોડાવાથી મન બીજી બાજુ વળી જશે.

૩. શેર કરો. મન આવેગયુક્ત હોય, ગુસ્સામાં હોય ત્યારે તમારા ખાસ મિત્ર કે અંગત સ્નેહીને વાતો કરો. ભૂલમાં પણ આ ઝઘડા કે વિવાદની વાત છેડવી નહીં. બીજી જ અલકમલકની વાતો ચાલુ કરી દો. જોયેલા મુવીની કે બીજા કોઈ રમૂજી જોકની વાતો કરવાથી મનનો આવેગ બદલાશે અને ગુસ્સાને બદલે હાસ્યનો ભાવ મનમાં ઉત્પન્ન થવા લાગશે. બાજુના રૂમમાં બીજા માણસો બેઠા હોય, ત્યાં જવા જેવું નથી. તેમને તમારો મૂડ જોઈ ખબર પડી જશે કે, કંઈક અજુગતું થયું છે, અને તે તમને બનેલી બાબતે પૂછપરછ કરવા લાગશે, જે તમારો મૂડ વધારે બગાડશે.

૪. મનને ડાયવર્ટ કરો. તમારો મૂડ ગુસ્સાને કારણે બગડી ગયો હોય, અશાંત હોય, તેવે વખતે મૂડ બદલવા હાથ મોં ધુઓ, નહાવા જતા રહો, કે પછી ટીવી ચાલુ કરી પોતાને ગમતી ચેનલ જોવા બેસી જાવ. બહાર ફરવા જતા રહો કે સૂઈ જાવ. કસરતો, યોગ કે મેડિટેશન કરો. એક વાર મગજ શાંત થાય પછી જ રૂમની બહાર નીકળો .

૫. ગુસ્સાના કારણો લખી નાખો. એકવાર લખીને વાંચી જાવ. થોડા સમય પછી તેના ઉપર વિચાર કરી તેને ફાડી નાખો.

અમેરિકના પ્રમુખ અબ્રાહમ લિંકનને યુધ્ધમંત્રી સ્ટેન્ટને ગુસ્સે થઈને એકવાર ફરિયાદ કરીકે લશ્કરના મેજર જનરલે તેના ઉપર લાગવગશાહી અને ગફલાનો આક્ષેપ કરેલ છે. હવે મારે શું કરવું? પ્રમુખે તેને સલાહ આપી, “તમે તેને કડક શબ્દોમાં જવાબ લખો અને તેની ઝાટકણી કાઢો.યુધ્ધમંત્રીએ તેને જબ્બર તીખી ભાષામાં પત્ર લખ્યો, અને બરાબરનો ખખડાવી નાખ્યો. પછી પ્રમુખને કહ્યું, “એક પરબીડિયું આપો, તેને પોસ્ટ કરી દઉં.પ્રમુખે કહ્યું, અરે, ભલા માણસ, ગુસ્સો તમે આ કાગળમાં ઉતારી નાખ્યો ને, હવે તેને રવાના ના કરાય. નહિતર લશ્કરી વડાનો જુસ્સો તૂટી જશે. તમારો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો આ કાગળ ફરી વાંચી ફાડી નાખો.

આપણા મનમાં જયારે ગુસ્સાનો ઉંદર દોડવા લાગે ત્યારે તેને આ રીતે કાગળના પાંજરામાં પૂરી દેવાનો. બસ. પછી તેને બીજા કોઈના ઘરે મૂકવા ના જવાય, પણ તેનો નાશ કરી દેવાનો. ગુસ્સો હંમેશાં ઠાલવવા માટે જ હોય છે. તેને કાગળમાં પૂરી દેવાય, તેનાથી તમારા મનને શાંતિ મળીને.

લિંકનની આ સલાહ તેના પોતાના વહેવારના અનુભવસિધ્ધ નિચોડરૂપ હતી. કોઈ માણસ આપણને ખોટી રીતે ચિતરે, કે ટોણાં મારે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આવી વ્યક્તિ આપણી નજીકની હોય કે અંગત હોય ત્યારે વધારે દુખ થાય છે. આવે વખતે ગુસ્સો લખીને ફાડી નાખવો, પોસ્ટ કરવો નહીં, નહિતર ઝઘડો વધી જશે, અને અંગત માણસ કાયમ માટે દૂર થઈ જશે કેટલીક વખત માણસને પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવતો હોય છે. મોટે ભાગે ક્રોધ એ પોતાના સ્વમાનની રક્ષા માટે, ન્યાયની રક્ષા માટે, કે સહાનુભૂતિ મેળવવા માટેની એક લાગણી છે.

એક બુકમાં ગુસ્સાના કારણો લખી નાખો. ક્યાં કારણથી ગુસ્સો આવ્યો, કોને કેટલું નુકસાન થયું, ગુસ્સો કઈ રીતે શાંત થયો, તેની નોંધ રાખો. ફરી નવરાશના સમયે તેનું વાંચન કરતા, ભવિષ્યમાં આજ ભૂલ ના થાય તેનો ખ્યાલ રહે છે. આજ ભૂલ રિપીટ ના થાય તેનો ખ્યાલ રાખો.

૬. એકદમ શાંત થઈ જાવ. પોતાની સાથે વાત કરો. સામેવાળાના ફક્ત દોષ જ નહીં, ગુણનો વિચાર કરો. મનમાં ઊંધી ગણતરી શરૂ કરો. ૧૦૦, ૯૯, ८८, એમ ગણતા જવાથી મન તેમાં પરોવાઈ જશે, અને ગુસ્સો મનમાંથી નીકળી જશે. કોઈ પણ દલીલ કે ઝઘડામાં માણસ ને હંમેશાં સામે વાળાનો જ વાંક દેખાય છે. પોતાના ગુણો જ એ વિચાર્યા કરે છે તેને બદલે હવે ઊંધું વિચારો. તેના ગુણો, અને તમારો વાંક અને અવગુણો વિચારો. પતિપત્ની ના કેસમાં આ બહુજ સામાન્ય છે, બહુજ વર્ષો સાથે રહેવાથી બંને એકબીજાના દોષો જ મનમાં વિચાર્યા કરે, તો ગુસ્સો અને ઝઘડા થતાં જ રહેશે. તેને બદલે પોતાના અવગુણ અને સામેવાળાના ગુણોનો પણ વિચાર કરવાથી પ્રેમ વધતો રહેશે. તેને માટે સુંદર પંક્તિઓ યાદ આવે છે, “યા તો કબુલ કર મેરી કમજોરિયો કે સાથ, યા ફીર છોડ દે મુઝે મેરી તનહાઈ મે.

૭. ગુસ્સો આવે ત્યારે થૂકી નાખો કે બેગ પર ઉતારો. મનમાં ગુસ્સાના આવેગનું ખુન્નસ વધી જાય ત્યારે તેને કાઢી નાખવું જરૂરી છે, અન્યથા કોઈ મોટું નુકસાન થઈ શકે છે. ઘરમાં પડેલા ઓશિકાને કે લટકતી બેગને પંચ કરી તમારો ક્રોધનો આવેગ ઠંડો કરી નાખો.

અગાઉના જમાનામાં મહારાણીઓને ગુસ્સો આવે ત્યારે કોપભવનમાં જતી રહેતી, અને રાજાએ તેમને મનાવવા જવું પડતું. આ કોપભવનનું નવું નામ છે એંગર રૂમ, રેઝ રૂમ, કે બ્રેક રૂમ. ભારતમાં પણ આવા એંગર રૂમ ખૂલ્યા છે, જેમાં જઈને લોકો નાણાં ચૂકવીને રૂમમાં મૂકેલી પ્લેટ, બોટલ, કપ રકાબી જેવી ચીજોને તોડી ફોડીને પોતાનો ગુસ્સો ઉતારે છે. કોઈથી નારાજ થયેલા કે, સ્વજનો પર ગુસ્સો ના ઉતારી શકનાર લોકો ઍગર રૂમમાં જઈ પોતાની ખીજ ઉતારે છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલા પોતાની પ્રેમિકા કે પ્રેમીના ફોટાનો કચ્ચરઘાણ વાળી પોતાનો ગુસ્સો ઉતારે છે.

એક હોટેલના વેઇટરને ગ્રાહક ગુસ્સો કરે કે શેઠ ગુસ્સો કરે, તો પોતાનો ગુસ્સો પીરસાતી વાનગીમાં થૂંકીને ઉતારતો હતો, ગુસ્સો ઓકી કાઢવાની આ રીત ખૂબ નુકસાનકારક છે, તે વેઇટર પકડાઈ જતાં તેને નોકરીમાથી કાયમ માટે છૂટો કરી દીધો. જો બહુજ ક્રોધ આવી ગયો હોય, તો તેને યોગ્ય જગ્યાએ થૂંકીને કાઢી શકાય.પણ ખાવા પીવાની વસ્તુઓમાં હરગિઝ નહીં.

જો માણસ સહિષ્ણુ, ધીરજવાન, પાકટમનવાળો, વિચારશીલ હોય અને રોજ ૧૫ મિનિટ ધ્યાનમાં બેસે તો ગુસ્સાનો અને ક્રોધનો વ્યાપ આપમેળે ઘટી જાય તેમાં શંકા નથી.

૮. સામેવાળાને માફ કરી દો. વાતચીત દરમ્યાન ગુસ્સો આવતો જણાય તો શાંતિથી તેની વાત સાંભળો. તેને સમજાવો. તેની કોઈ ભૂલ હોય તો તેનું ધ્યાન દોરો. ખોટો વહેમ દૂર કરો.

એક નેતા માઇક પર બોલવા ઊભા થયાને, માઈકવાળાએ બૂમ પાડી, "માઈકને હાથ ના લગાડતા.નેતાનો ગુસ્સો ઉકળી ગયો, તેણે માઇકવાળાને કાઢી મૂકવા હુકમ કર્યો. પછી ખબર પડી કે માઈકમાં કરંટ આવતો હતો,જેનાથી નેતાના જાનનો ખતરો હતો. અને બધાને પસ્તાવો થયો. આમ ખરી હકીકત જાણ્યા વગર ક્રોધ કરવો નકામો છે. એક વખત સામેવાળાને માફ કરી, ક્ષમા આપી દેવાથી તમારો ગુસ્સો આપોઆપ શાંત થઈ જશે. હું જ હંમેશાં સાચો છું, સામે વાળો ખોટો છે, એ વિચારધારા બદલો. ક્રોધ કેટલીક વખત ઉપયોગી છે, પણ તેને હકારાત્મક દિશામાં વાળવાથી જ જીતી શકાશે. એક સરસ પંક્તિ યાદ આવે છે, “ઐસે મૈંને ખૂદ કો આઝાદ કિયા, કુછ કી માફી માગી, કુછ કો મૈંને માફ કિયા."

૯. અશાંત મનને શાંત રાખો. કોઈ પણ કારણથી અશાંત રહેતું મન જલ્દી ગુસ્સે થાય છે. તેથી તેને શાંત રાખવા પ્રયત્ન કરો. પૂરતી ઊંઘ અને આરામ પણ એટલાજ જરૂરી છે. મન ગ્લાનિમાં હોય, ઉદ્વેગમાં હોય ત્યારે કોઈ પણ વાતચીત કે દલીલબાજી ના કરો. એકવાર મનને શાંત થવા દો. 

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.