શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ઇન્દ્રિયદમનથી સુખી થવાય ખરું ?

 ઇન્દ્રિયદમનથી સુખી થવાય ખરું ?

આજના આધુનિક જમાનામાં સુખસગવડનાં સાધનો વધતા જાય છે, વિજ્ઞાને એટલી બધી શોધો કરી છે કે, હવે માણસને રોજિંદું કામ લગભગ નહિવત્ થઈ ગયું છે. વોશિંગ મશીન, ઘર ઘંટી, વેક્યુમ ક્લીનર વિગેરે આવતાં હવે માણસોને મોજશોખનો, ઇન્દ્રિયસુખ મેળવવાનો સમય વધતો જ જાય છે. પણ આપણે ત્યાં સામાન્ય રીતે દરેક ધર્મમાં સુખ શાંતિ માટે, ધાર્મિક થવા માટે, પ્રભુનો પ્રેમ મેળવવા માટે ઈન્દ્રિયદમન કરતા જવું જરૂરી છે, જેટલાં સુખસગવડો,


મોજશોખ, જીભના ચટકા, સાજશૃંગાર, સંગીત સાંભળવાના ચટાકા, ફિલ્મ જોવાના શોખ ઓછા કરતાં જઈ, તેનું દમન કરતાં જઈ, ઉપવાસ, બ્રહ્મચર્યનું પાલન વિગેરે કરતા જઈએ તેમ ધર્મ વધારે થાય, લોકો તેને ધર્મિષ્ઠ સમજે છે, અને સુખ શાંતિ વધુ મળે છે. તમારું શું માનવું છે ? શું આ સાચી વાત છે ??હવે સવાલ એ થાય કે તો ભગવાને આ બધા મોજશોખ આપ્યા છે શા માટે ? વાત તો વિચારવા જેવી છે. અગાઉના સુખના તમામ લેખોમાં જોઈ ગયા. કે જેમ સાદગી અપનાવતા જશો,રાગ દ્વેષ ઘટાડતા જશો, પરિગ્રહ ઘટાડી, મોજમજા ઘટાડતા જશો, તેમ સંતોષમય જીવન અંતે સુખ આપશે. પણ તે બધાનો આધાર માણસની ઉમર, આજુબાજુનું વાતાવરણ અને મન પર છે. નાની કે યુવાન ઉંમરમાં હજુ માણસ દુનિયાના મોજશોખ મનાવવાની શરૂઆત કરતો હોય ત્યાં તેને એકદમ બંધ કરવાની વાત ગળે ઊતરતી નથી.

પણ જેમ ઉમર વધતી જાય તેમ તેને દુનિયાની નાશવંતતાનો ખ્યાલ આવતો જાય છે, મોતની અનિવાર્યતાનો ખ્યાલ પણ આવી જાય છે, તેમ તેમ ઇન્દ્રિયના શોખ ઘટતા જઈ પરમાત્મા પ્રત્યે લગાવ વધતો જાય છે. આપોઆપ ઇન્દ્રિયદમન થતું જોવા મળે છે. આજુબાજુનું વાતાવરણ એટલે કે ઘરના સંસ્કાર, સગાવહાલાંઓના સંસ્કાર, આજુબાજુના લોકોની ધાર્મિકતા વગેરેની અસર બહુ જ પડે છે. છતાં ય સહુથી મોટો આધાર માનવીના મન ઉપર જ છે, મન શેને અગત્યતા આપે છે, મનને શું ગમે છે, મન શું માને છે વિગેરે બાબતો ખૂબ અગત્યની છે. ખૂબ નાની ઉમરથી જ વૈરાગ્ય આવી ગયાનું પણ જોવા મળે છે, અને છેક મોટી ઉંમરે પણ બધા જ પ્રકારના મોજશોખમાં માનનારા પણ જોવા મળે છે.



કુદરતે ભય, આહાર, મૈથુન અને પરિગ્રહ એમ ચાર અદમ્ય પ્રાકૃતિક આવેગો દરેક સજીવમાં મૂકેલા છે. નિમ્ન કક્ષાનાં સજીવોમાં આહાર, ભય, અને મૈથુનના આવેગો જોવા મળે છે. પણ મનુષ્ય જેવા ઉચ્ચ કોટિના સજીવમાં ધીમે ધીમે ઈન્દ્રિયોનો વિકાસ થતાં અને મગજનો વિકાસ થતાં પરિગ્રહ અને બીજા મોજશોખ વધતા ગયા છે, એ જ માનવીને સુખી અને દુઃખી બનાવે રાખે છે.


પહેલી વાત સ્વાદેન્દ્રિય એટલેકે જીભના ચટાકાની કરીએ.ભગવાને શરીર ને ઊર્જા મળી રહે, શરીરના રીપેરીંગ માટે અને વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાકની રચના કરી. ખોરાકના પાચનથી ઉત્પન થતા પ્રોટીન, ફેટ, અને કાર્બોહાયડ્રેટના છેવટના અણુઓ આ તમામ કામ કરે છે.આદિ માનવ કાચું માંસ અને ફળ ફૂલ ખાઈને જીવન વ્યતીત કરતો હતો. વિકાસ થતા અનાજ, કઠોળ, શાકભાજી વગે= આવતા ગયા. અગ્નિની શોધ પછી માનવી ખોરાકને રાંધીને ખાતો થયો. તેમ પાચન સારું થયું. પછીથી જુદા જુદા મસાલા આવતા જુદીજુદી વાનગીઓ બનતી ગાઈ. જીભના ચટાકા વધતા ગયા.અમુક લોકો તો જાણે


ખાવા માટે જ જીવતા હોય તેમ તેમનું ધ્યાન સદાયે ખાવા ઉપર જ અને વાતો પણ ખાવાની જ હોય. જ્યાં પણ બહારગામ જાય કે પરદેશ જાય, પહેલી ચિંતા તો ખાવાની જ હોય, ખાવાનું સારું મળશે કે નહીં ? અમુક વાનગી અમુક જગ્યાએથી જ લેવાની વગેરે પરિગ્રહ તેમને જીભના ગુલામ બનાવી દે છે. આપણા ગુજરાતીઓમાં આ વધારે જોવા મળે છે. ખરેખર જીવવા માટે ખાવું જોઈએ. તેને બદલે ખાવા માટે જીવતા માણસોને જોઈ નવાઈ લાગે છે.


ગમે તે ભાવશે અને ચાલશેની ભાવના તેને કોઈ જગ્યાએ દુઃખી થવા દેતી નથી. જ્યાં જઈએ ત્યાંનું ખાવાનું અને આનંદમાં સુખમાં રહેવાનું આ ભાવના જ માનવીને સુખી રાખે છે. દરેક ધર્મમાં તેને માટે જુદા જુદા દમન રાખી સુખી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે ઉપવાસ, રોઝા,આયંબીલ, ફરાળ, વગેરે, જે આરોગ્ય માટે પણ જરૂરી છે.


આડેધડ ભાવતાં ભોજન કરવાથી અંતે શરીર જાડુંભમ બની અદોદળું બની જાય છે. છેવટે ડાયાબિટિસ, બીપી, હાર્ટએટેક,વિગેરે રોગોનો ભોગ બને છે. પછીથી ડાયેટિંગ, જીમ વગેરેના નામે વજન ઘટાડવા અનેક ખેલ થતાં માલૂમ પડે છે, જેમાં ઘણા રૂપિયાનો ખર્ચ થતો જણાય છે, તો પણ ધાર્યાં પરિણામ મળતાં નથી. માટે જ જીભના ચટાકા ઉપર કન્ટ્રોલ મૂકી દમન કરવું જરૂરી છે, તેનાથી સુખ, સ્વાસ્થ્ય, અને શાંતિ મળે છે, એમાં કોઈ શંકા જ નથી.


તેના લીધે દેખાદેખીમાં કે ધર્મના નામે શરીરને માફક ના આવે કે મનની ઈચ્છા ના હોય તો પરાણે ઉપવાસ કે બીજા તપ કરવાની જરૂર નથી. ઉપવાસ રાખી ઊઠતાં, બેસતાં કે સૂતાં મનમાં શીરા-પૂરી-બાસુંદીના જ વિચારો આવ્યા કરે તેનો કોઈ જ અર્થ નથી.


બીજી વાત છે જોવા અને સાંભળવાના ચટાકાની. આજકાલ ફિલ્મી સંગીત, સાજ શૃંગાર, અને અશ્લીલ ફિલ્મો જોવાનું ચલણ વધી ગયું છે. આ બધા જ શોખ અંતે મનમાં વિકાર અને વાસનાને બહેકાવે છે. અત્યારના નેટના જમાનામાં યુવકો ન જોવાની બધીજ અશ્લીલ ક્લીપો, ફિલ્મો એકાંતમાં બેસીને જોયા જ કરે છે .આ અંતે વ્યક્તિને અને સમાજને નુકશાન કરે છે. સમાજમાં વધતા જતા છેડતી, બળાત્કાર, નિસા વિગેરે આનાં જ દુષ્પરિણામ છે. તેથી તેના પણ ઇમશ્ન છે. આ અંને વ્યક્તિને અને સમાજને નુકશાન કરે છે. સમાજમાં વધતા જ૦ થશે. કાયદાની રીતે આના પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય જ નથી. કારવક લાવી કન્ટ્રોલ કરવો જરૂરી છે. તો જ સુખ શાંતિ અને તંદુરસ્ત સમાજની રમન શક્ય જ નથી. તેથી વ્યક્તિએ પોતે જ સમજીને આ બધા શોખ ધર દમન કરી આંતરરાષ્ટ્રીય સીમાઓ પારથી નેટ ઉપર આવતી ક્લીપો અને ફિલ્મોને અટકાવવી બંધ કરવા, જેથી મન અશાંત અને આવેશયુક્ત બની તોફાન ના મચાવે,



નાકની ઈન્દ્રિય વડે પરખાતી સુગંધ અને દુર્ગંધ માટે પણ જાગૃતતા જરૂરી છે. સુગંધ વડે મન પુલકિત બની આનંદમાં આવી જાય તે સારો ઉપયોગ છે. પણ તેના દ્વારા વિજાતીય વ્યક્તિઓને આકર્ષી ખોટા કામમાં જોતરાઈ જવું યોગ્ય નથી. યુવકો અને યુવતીઓમાં આજકાલ મોંઘા પરફયુમ્સ લાવી વિજાતીય વ્યક્તિને આકર્ષવાનો પ્રયાસ વધારે જોવા મળે છે.


સ્પર્શ. હોઠોના સ્પર્શ અને ચુંબન અને જનનાંગોના સ્પર્શ અને ઘર્ષણ દ્વારા છેલ્લી વાત છે સ્પર્શેન્દ્રિયના આનંદ ની. આના વડે માનવી વિજાતીય સહવાસનો આનંદ માણે છે. આ એક કુદરતી અને રોકી ના શકાય તેવો કુદરતી આવેગ છે. કુદરતે તેની રચના વંશ વૃદ્ધિ માટે કરેલી છે. નિમ્ન કક્ષાના સજીવો પોતની જાતિના કોઈપણ વિજાતીય પાત્ર સાથે ગમે ત્યારે ગમે ત્યાં સહવાસમાં રત થઇ વંશ વધારવા આગળ વધે છે. પણ માણસ વિકસતો ગયો, તેમ લગ્નસંસ્થા, સમાજ અને અમુક મર્યાદાઓની રચના થતી ગઈ. લગ્ન કરેલ પુરુષ અને સ્ત્રી પોતાના વંશવધારા માટે આ આનંદનો લાભ લેતા થયા. તેના દમન એટલે કે બ્રહ્મચર્ય પાલન એક આખો અલગ જ વિષય છે તેની ચર્ચા હવે પછી કરીએ.



લાસ્ટ સ્ટ્રોક : આધુનિક જમાનામાં ખૂબ જ સગવડો અને વાનગીઓઉપલબ્ધ છે,ત્યારે મનને ફાવે તે પ્રમાણે વર્તવા ના દેતા, માફક આવે તેટલા પ્રમાણમાં ઇન્દ્રિયદમન જરૂરી છે, તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને મનને શાંત કરી સુખી બનાવે છે. દરેક ધર્મમાં પણ આ જ સલાહ વિવિધ કર્મો દ્વારા સૂચિત કરેલ છે.





------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.