સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મનના ખોટા વિચારો અટકાવી સુખી બનો

 મનના ખોટા વિચારો અટકાવી સુખી બનો

માનવ મન આ દુનિયાની સહુથી અદ્ભુત રચના છે.




બુદ્ધિ અને મનની લડાઈ યુગોથી ચાલી આવે છે. બુદ્ધિ એટલે કે મગજ પાસે યાદશક્તિ, નિર્ણયશક્તિ, કૌશલ્ય, વગેરે બધું જ છે. જયારે મન પાસે અદ્ભુત લાગણીઓ, અને વિચારશક્તિ રહેલા છે, જે આ દુનિયામાં બીજા કોઈ પ્રાણી પાસે નથી. માનવમન સાચા, ખોટા અનેક વિચારોથી હંમેશાં ઘેરાયેલું જ રહે છે,તે એક સેકન્ડમાં ઊડીને લાખો માઈલનો પ્રવાસ ખેડી લે છે.

ઘડીકમાં ભારતમાં રહેલું મન, બીજી જ સેકંડે ઊડીને અમેરિકા જતું રહે છે, તેની ખબર જ નથી પડતી. વર્ષો જૂના ભૂતકાળમાંથી ક્યારે વર્ષો પછીના ભવિષ્યકાળમાં જતું રહે છે, તે પણ અદ્ભુત છે. માનવી સુખ અને દુઃખનો અનુભવ મન દ્વારા જ કરે છે.

જો મનના વિચારો સુખી બનાવનારા હશે તો સુખનો અનુભવ થશે, અને બીજી જ પળે જો મનમાં કોઈ દુઃખદ વિચાર આવી જશે તો માણસ દુ:ખીદુ:ખી થઈ જશે.

મન ક્યારેય ખાલી રહેતું જ નથી, તેમાં વિચારો આવ્યા જ કરે છે, તે હવા ભરેલા વાસણ જેવું છે, જે ક્યારેય ખાલી રહેતું જ નથી. માટે જ હંમેશાં મનને સારા સુખદ વિચારો કર્યા કરે તે પ્રમાણે સેટ કરવું તમારા હાથમાં જ છે. જો કે કહેવું સરળ છે. પણ તેનો અમલ કરવો મુશ્કેલ છે. ફક્ત લાંબા ગાળાના પ્રયાસ પછી જ તેમાં સફળતા મળે છે. મનની એ નબળાઈ છે. કે તે હંમેશાં દુઃખદ વિચારોને પહેલા યાદ કરી ચિંતા કર્યા કરે છે. માટે બને ત્યાં સુધી તે દુઃખદ કારણનો પહેલાં ઉકેલ લાવવો જરૂરી છે. જો તે ઉકેલ શક્ય જ ના હોય તો શું કરવું ?

મનને ભુતકાળમાં જઈ વીતાવેલા સમયને વાગોળ્યા કરવાની બૂરી આદત હોય છે. જે બની ગયું છે. તેને યાદ કરીને દુઃખી થયા જ કરવાનો શં અર્થ ? જૂના જમાનાના યાદગાર મુવી


'સંગમ'માં રાજ અને વૈજયંતી નું સુખી લગ્નજીવન,પ્રેમપત્રથી વેરવિખેર થઈ જાય છે. કોણ પ્રેમી હશે, તેના વિચારોમાં દખીદુખી થઈ જાય છે. વૈજયંતી મનાવવા બહુ ફક્ત એકજ  રાજનું મન તે પ્રેમપત્ર લખનાર કોશિશ કરે છે, પણ રાજનું મન માને ? તેમનો વર્તમાન સુખી છે, તેની પત્નીને પણ હાલ તો બીજું કોઈ લફરું નથી, પણ રાજનું મન માને જ નહીં તો કરવું શું? અંતે તેના જ ખાસ મિત્ર રાજેન્દ્રનું મોત, ચિંતાનો અંત લાવે છે, નહીંતર તો તે બંનેની આખી જિંદગી બરબાદ જ થઈ જાત ને ! મન જો ભૂતકાળમાં બની ગયેલા ખરાબ પ્રસંગોને માફ કરી ભૂલી જાય તો જ આગળ વધી શકાય છે, આમ કેટલીક વખત ભૂલો અને માફ કરોની નીતિ ઉપયોગી છે. સ્વામી વિવેકાનંદજીએ સૂત્ર આપેલ છે કે, વર્તમાનને એકાગ્રતાથી માણો અને વીતેલી ક્ષણ માટે અનાસક્ત ભાવ કેળવો. એનો અર્થ એવો નથી કે, ગુનાહિત પ્રવૃત્તિને પણ ભૂલી જઇ માફ કરી દેવું. તમારી બહેન, દીકરી ઉપર બળાત્કાર કરનારને પણ શું તમે ભૂલી જશો ? માફ કરી દેશો ? ના, કદી નહીં. કહેવાનો મતલબ એમ છે કે, આવી બાબતો વારંવાર યાદ કરીને દુઃખી થવાનો પણ શું અર્થ છે ?


આપણું મન હંમેશાં ભવિષ્યમાંશું થશે તે જાણવા બહુ જ ઉત્સુક હોય છે. તેને માટે આપણે જ્યોતિપીઓ અને ભવિષ્યવેત્તાઓ, હસ્તરેખાશાસ્ત્રીઓ વગેરેને મળી સમય અને પૈસાનો બગાડ કરીએ છીએ, તેમાં વર્તમાનનો આનંદ પણ ગુમાવી દઈએ છીએ. જિંદગીમાં ભવિષ્યમાં શું થશે, તે કોઈ કહી શકતું નથી. જે થવાનું છે, તે તો થઈને જ રહેશે, પછી તેની ચિંતા શા માટે ?તેનો ઉકેલ શું છે ? વર્તમાનને માણો. ભવિષ્યમાં જે થવાનું છે, તેનો સ્વીકાર કરો. ભવિષ્ય હંમેશાં વર્તમાન વડે જ ઘડાય છે, માટે વર્તમાનને જ માણો. વર્તમાનકાળ જ -મવિષ્યકાળ બનીને રહેતો હોય છે.

શ્રો હરિદ્વાર દર્શન માટે જતી બસને અકસ્માત થવાનો છે. તે ખબર પડી બબર પડી જાય કે મહિનામાં તેનું મોત થવાનું છે. તો તેનો મહિનો કેવો જાય ? અમ તો કોઈ તેમાં બેસે ખરું? પરંતુ તે માટેની સાવચેતી જરૂર લઈ શકાય. કોઈને આખો મહિનો તે મરી મરીને જીવે કે નહીં ? જૂનું જાણીતું મુવી " ૧૦૦ ડેઝ”માં માધુરીને તેના ભવિષ્યનો અણસાર આવી જતો હતો, જેમાં તેનું મોત ખની વડે ૧૦૦ દિવસ પાછી દેખાતું હતું, પણ તેને ખૂનીના સાથે થોડો, સિગાર, મુર્તિ વગેરે દેખાયું હતું. તે ચિંતામાં ને ચિંતામાં બેહાલ થઈ જાય છે, પણ અંતે તો જે થવાનું છે. તે જ થાય છે. માટે જ મનને ભવિષ્ય ના બૂરા વિચારોમાં રાખી ચિંતા કર્યા કરવાની જરૂર નથી. જે થવાનું છે, તે તો થઈને જ રહેશે, હા, તેને માટે સાવચેતી જરૂર રાખી શકાય. પાંચ પાંડવોમાં સહદેવને ભવિષ્યનો બધો ખ્યાલ આવી જતો હતો, પણ તેને કંઈ પણ કહેવાની મનાઈ હતી. આપણે ત્યાં તો વેધર ફોરકાસ્ટમાં આવે કે, આ વર્ષે વરસાદ પુષ્કળ થશે, આપણે ખૂબ જ આશાવાદી બની જઈએ, પણ તેને બદલે દુકાળ પડી જાય, તો કરવું શું ? તેને બદલે જેમ ચાલે છે, તેમ નિયમિત કરતાં રહેવું, એ જ સાચો નિર્ણય કહેવાય.


આપણું મન બીજાઓ પાસેથી અપેક્ષાઓ બહુ જ રાખે છે, બીજાઓ પાસેથી આપણે કરેલા કામની કે, પછી આપણે આપેલા ભેટ, બક્ષિસ વગેરેને પરત લેવાની અપેક્ષા રાખવી, એ જીવનમાં દુઃખ ઉત્પન્ન કરવાનું મોટું કારણ છે. આપણે કોઈ સગાનાં દરેક પ્રસંગે હાજર રહીને બધું જ કર્યું હોય, પછી આપણે પણ તે હાજર રહી બધું જ કરે, તેવી અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ. કોઈ કારણસર તે આવી ના શકે, કે પછી મોડા આવે તો પણ આપણે ગુસ્સે થઈ દુ:ખી થઈ જઈએ છીએ. આપણે તેના લગ્ન પ્રસંગે પાંચ હજારની ભેટ આપી હોય, તો આપણે પણ આપણા લગ્ન પ્રસંગે તેટલી જ અપેક્ષા રાખીએ છીએ. જો તેને પોષાય તેમ ના હોય, અને ઓછી ભેટ આપે તો આપણે ગુસ્સે થઈ સંબધો બગાડી, દુઃખી થઈ જઈએ છીએ.ખરેખર જોવા જઈએ, તો આવી અપેક્ષા રાખવી તે એક પ્રકારનો સોદો જ છે. સામી વ્યક્તિ આપણે કરેલો વ્યવહાર ના પણ કરી શકે, દરેકને પોષાય તેટલું જ આપી શકે, કે કરી શકે, પણ તેની અપેક્ષાઓ રાખી દુઃખી થવા જેવું નથી. અરુણ અને અશોક ખાસ મિત્રો હતા, અરુણના લગ્નમાં અશોકે પાંચ હજારનો સેટ ભેટ આપ્યો, અને દરેક પ્રસંગમાં હાજર રહી મદદ કરી. બે વરસ પછી અશોકનાં લગ્ન નક્કી થયા, પણ તે વખતે અરુણ બીજા ગામમાં નોકરી કરતો હતો, અને તેને નોકરીમાંથી રજા જ ના મળી. અશોકે બહુ જ ફોન કર્યા, આગત કર્યો જલ અરુલ મજપૂર નતો તેલે દરેક વખતે સોરી કહ્યું તે જ ના રહી શકયો, પણ તેણે સરસ ભેટ મોકલાવી. પણ અશોક એટલો બધી સૂરમે આવી ગયો. પછી અશોકને બહુજ પસ્તાવો થયો, પણ પછી શું કામનો ? તેઠ અને દુ:ખી થયો રાતો, કે તેણે ભેટ સ્વીકારી જ નહીં અને બંનેના સંબંધોનો અંત રાખેલી ખોટી અપેક્ષા જ તેણે નડી ગઈ. અને હવે બંને સારો મિત્ર ગુમાવ્યાના દુ:ખમાં છે.


મનમાં એક વખત લઘુતાગ્રંથિના વિચારો ચાલુ થાય પછી માણસ તેનાથી પીડાવા લાગે છે અને સુખ દૂર થઈ જાય છે. પેલા કરતાં મારો પગાર ઓછો કેબ છે. મારો ફ્લેટ પેલા કરતાં નાનો કેમ છે. પેલાની પત્ની કેટલી સુંદર છે, મારા કરતાં સરેશને વધારે માર્કસ કેમ આવે છે. આમ સરખામણી કરતાં મનમાં જ લઘુતાગ્રંથિ બંધાવા લાગે છે. પણ ખરેખર તો સરખામણી કરવા જેવી જ નથી.

દરેક પોતપોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. તેમાં જ તેની સફળતા છે, તેથી આવી લઘુતાગ્રંથિથી દુ:ખી થવાની જરૂર નથી. 



આવી જ રીતે કેટલીક વખત ગુરુતાગ્રંથિ આવી જતાં માણસમાં અભિમાન અને અહંકાર આવી જાય છે. મારો પગાર આખા કટુંબમાં સહથી વધારે છે. આખા ગામમાં મારા જેટલો પૈસાદાર કોઈ નથી, હું કરું તો જ આ કામ થઈ શકે, નહીંતર નહીં, મનમાંથી હું કરું એ અહંકાર કાઢવો જ રહ્યો. કારણ કે, હું કરું હું કરું, એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ થાય છે કે,ગાડાનો ભાર હું જ વહન કરું છું, પણ હકીકત કંઈક જુદી જ છે. આ દુનિયા ક્યારેય તમારા વગર રોકાઈ નથી, આજે નહીં ને કાલે કોઈ તો તમારા કરતાં વધારે પગારવાળો આવવાનો જ છે, કોઈ તો વધારે પૈસાદાર થવાનો જ છે, ત્યારે દુઃખી જ થવાનું ને ! તેથી કોઇની સાથે સરખામણી કરવાનો કે, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિથી પીડાવાનો કોઈ જ અર્થ નથી. મનનો આ ભાવ જ અંતે તમને સુખી અને દુઃખી બનાવે છે.

માનવીનું મન કેટલીક વખત અંધ શ્રદ્ધા અને અનુકરણોમાં એટલું દોરવાઈ જાય છે કે, પછી પોતાની વિચારવાની કે નિર્ણયશક્તિ બંધ થઈ જાય છે. આપણે ત્યાં નાના-મોટા ચમત્કારો કરીને બાવાઓ, ગુરુઓ, બાપુઓ એટલો પ્રભાવ જમાવે છે કે, મન તેની પાછળ સાચી વાત માનવા પણ તૈયાર થતું નથી. ખોટા ગુનાહિત કાર્યોને પણ આપણે બાબાનો આદેશ પાળવા અનુસરીએ છીએ, અંતે છેતરપિંડી, બળાત્કાર વિગેરે ગુનાઓ બાબા આચરે પછી આપણને ભાન થાય છે. અને આપણે દ:ખી થઈ જઈએ છીએ. તેને બદલે મનમાં ખોટી અંધશ્રદ્ધા કે અનુસરણને પેસવા જ ના દઈએ, તો દુઃખી થવાનો વખત જ ના આવે. ગુરુને રાખવાનું મુખ્ય ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે, બાબાની પૂજા નહીં, આ બાબત ના ભૂલાય. આપણે બાબાના પ્રભાવમાં આવી જઈ અંતે દુ:ખી જ થઈએ છીએ.


મનમાં એક વખત બદલો લેવાની ભાવના મક્કમ બને પછી, બદલો લેવાઈ ના જાય ત્યાં સુધી માણસ સુખને ભૂલી જ જાય છે. પોતાને થયેલ અન્યાયનો બદલો લેવો તે સારી બાબત છે, પણ પછીથી તેમાં જ રચ્યાપચ્યા રહેવાથી મન બીજા કોઈ આનંદમાં લાગતું જ નથી. સમાજમાં થતાં ગુનાઓ જેવાકે ખૂન, બાળત્કાર, મારામારી વગેરે સામે અવાજ ઊઠાવી, કેસ કરી બદલો લેવો સારી વાત છે. જેથી સમાજમાં ગુનાખોરી ઘટે અને ગુનેગાર જેલમાં જાય. પણ પછી તેની લાયમાં કાયદો હાથમાં લઈ ખોટી મારધાડ કરવી પણ યોગ્ય નથી. આપણે ત્યાંની કાયદાકીય કાર્યવાહી એટલી લાંબી અને કંટાળાજનક છે, કે કેટલીક વખત માણસ બદલો લેવાની લાયમાં આખી જિંદગીનું સુખ ગુમાવી બેસે છે. તેને બદલે એક વખત કેસ થઈ જાય પછી કાયદાને કાયદાનું કામ કરવા દો. તમે તે બાબત પરથી મન હટાવી દો. તો જ સુખી થવાશે. એકનો બદલો, તેની જ જાતિના કે ધર્મના માણસને મારવાથી મળતો જ નથી. કોઈ એક જગ્યાએ તોફાનોમાં કોઈ એક હિન્દુને મારે, તેનો બદલો બીજા એરિયાના નિર્દોષ મુસ્લિમને મારવાથી ક્યારેય મળતો નથી.

મન હંમેશાં સુખ-સગવડો માટે તલસતું હોય છે. મર્યાદિત માત્રામાં આ સુખ-સગવડો વાપરીને આનંદ કરવાનો કોઈ વાંધો નથી. વિષયસુખ પણ ભગવાને જ નિર્મિત કરેલ છે, અને આનું દમન કરવાનો કોઈ જ અર્થ નથી, ઉપરથી તેનાથી તો દુ:ખી થવાશે. પણ તેમાં જ રચ્યાપચ્યા રહી મન તેમાં જ ખેંચાયા કરે, અને જરાક અગવડ આવતાં કે શારીરિક સુખ ના મળતાં મન દુઃખી થઈ જાય તે નકામું છે. ભૌતિક સુખ વર્તમાનમાં રહી, માણી લેવાનો કોઈ જ વાંધો નથી. પણ તેના અતિરેકથી અંતે નુકસાન થઈ દુઃખી જ થવાશે.


નશાકારક દવાઓ, વ્યસનો, દારૂ, ધૂમ્રપાન વગેરે બધું જ શરૂઆતમાં સુખ આપનારું લાગે છે, પણ પછીથી મનમાં તે જ છવાઈ જાય, તો અંતે મન અને શરીરને નુકસાન કરી દુઃખી જ થવાય છે. સુખ સગવડો હોય, ત્યાં સુધી ભોગવો, પણ તેના વગર ચાલેજ નહીં, તો મન દુઃખી દુઃખી થઈ જશે. તેને બદલે ફાવશે, ચાલશે, ગમશે, અને ભાવશેની નીતિ અપનાવવા જેવી છે. તો મન ક્યારેય દુખી નહીં થાય.માનવ એ સામાજિક પ્રાણી છે. તેને બીજા કોઈની હાજરી કે સંગાથ ગમે કે સગાંની હાજરી અને તેની સાથે વાતચીત તેને ગમે છે. પણ ક્યારેક એકાંત છે. એકલતા અને કંટાળો આવતાં તે દુઃખી થઈ જાય છે. કુટુંબના માણસો, મિત્રો, પણ માણવું જોઈએ. તેનાથી મનની અંદર ઝાંખી સ્વનો આનંદ મળે છે.

મનનો કંટાળો કાઢી એકાંત માણતા પણ શીખવું જોઈએ. દરેક વખતે બીજાની હાજરી કલરવ, વહેતા પાણીનો ખળખળ અવાજ, પહાડોની વચ્ચે, લીલોતરીની વચ્ચે, ના પણ મળે. એકાંતમાં કુદરતના સાંનિધ્યમાં ઝરણાનો અવાજ, પંખીઓનો જંગલમાં વગેરે માણવાનો આનંદ અને સુખ અનેરાં છે. કંટાળો અને એકલતા દૂર કરી એકાંત માણવાની મજા પણ માણવા જેવી છે. માણસ આ દુનિયામાં એકલો જ આવ્યો છે, અને એકલા જ જવાનું છે, તે વાત યાદ રાખવાથી, ક્યારેય એકલતાનો કંટાળો નહીં આવે.

લાસ્ટ સ્ટ્રોક : મન ખોટા વિચારોમાં ચડી કંટાળો કે એકલતા અનુભવે, ભૌતિક સુખો પાછળ ગાંડું થઈ જાય, બદલો લેવા પ્રેરાય, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિ અનુભવે,અંધશ્રદ્ધામાં આવી જાય, ખોટી અપેક્ષાઓ રાખે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં પહોંચી ખોટા વિચારે દુઃખી થાય, તે તમામ કારણોને સમજી વિચારીને દૂર કરી શકાય, તો સુખી થવું સહેલું છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-