શુક્રવાર, 3 એપ્રિલ, 2026

વ્યસન કરવાથી ચિંતા ઘટે છે ખરી ?

વ્યસન કરવાથી ચિંતા ઘટે છે ખરી ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

ચિંતા માનવમાત્રની નબળાઈ અને જરૂરિયાત છે. પરીક્ષાની ચિંતા જાગે પછી જ વિદ્યાર્થી ધ્યાનપૂર્વક વાંચતો થાય છે. કુટુંબનાં ભરણપોષણની જવાબદારી આવે પછી જ પુરુષ કમાવા દોડતો થાય છે. ઈન્ટરવ્યૂ માટેનો લેટર મળે પછી જ ઉમેદવાર તૈયારી કરવા લાગે છે. આમ ચિંતા અને તણાવના ફાયદા તો છે જ પણ આ સ્પર્ધાના જમાનામાં બધા પાસ થોડા થઈ જાય છેબધાને મોંઘવારીમાં સારી કમાણી થોડી થવા લાગે છેહજારોમાંથી ફક્ત એક કે બે ઉમેદવારોને જ નોકરી મળે છે. અસફળ થયેલો વિદ્યાર્થી કે ઉમેદવાર પછીથી હતાશામાં કે ઉદાસીમાં ગરકાવ થઇ જાય છે. અને તેને જૂનું ગીત યાદ આવી જાય છે, “મેં જિંદગી કી હર ફિક્ર કો ધુએઁ મેં ઉડાતા ચલા ગયા.આમ ફિક્ર દૂર કરવા અંતે હતાશઉદાસ માનવી સહારો લે છે. વ્યસનોનો. અનેક પ્રકારના વ્યસનો અત્યારે ઉપલબ્ધ છેદારૂસિગારેટતમાકુગાંજોહશીશમોફીનકોકીન વગેરે.

અહીં પ્રશ્ન એ થાય કેશું વ્યસન કરવાથી ચિંતા અને તણાવ દૂર થાય છે ખરાં આ બધાં વ્યસનો થોડા સમય માટે મનની વિચારશક્તિ ઠપ્પ કરી દેતા હોવાથી માણસને ચિંતામુક્ત થઇ ગયાનો આભાસ થાય છેતેથી જ લેનારને થાય છેહાશચિંતા ટળી! પછીથી પાછું ભાન આવતા એનું એ જચિંતાનાં કારણો તો રહે જ છે. તેથી વધારે વ્યસનો લેવા માંડે છેઆમ તે બરબાદ થઇ જાય છે. અને તે વ્યસનના ચક્કરમાંતેનો ગુલામ થઈ તેમાંથી છૂટી જ શકતો નથી.

આ તો હિંસક પ્રાણીને જોઈ શાહમૃગ રેતીમાં મોં છુપાવી દે તેવી વાત થઇ. તેનાથી શાહમૃગતે પ્રાણીને જોઈ શકતું નથીતેથી બચી ગયાના આભાસથી ખુશ થાય છેપણ તે હિંસક પ્રાણી તો તેને જોઈ તેને ખાઈ જ શકે છે. આજ રીતે વ્યસની પણ વિચારે છેહાશચિંતા ગઈપણ તે તો થોડા સમય માટે જઅને તે પણ તેનું મગજ કામ કરતુ બંધ થાય એટલા સમય પૂરતું જ ! પણ પછી તો તે બમણા જોરથી ત્રાટકે છે કારણકેવિપરીત પરિસ્થિતિનો હલ તો આવેલ જ નથી. અને તમે સમય ગુમાવી રહ્યા છો.

આને માટે વ્યસનીઓ ઉપર ઈરાનની સ્કૂલનો સોળથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ પર કરેલો એક અભ્યાસ આંખો ચોકાવનારો છે. હાઇસ્કૂલના કુલ ૩૯૮ વિદ્યાર્થીઓમાં૨૦૦ છોકરીઓ અને ૧૯૮ છોકરાઓને પસંદ કરવામાં આવ્યા હતા.

પરિણામો આંખો ચોકાવનારાં હતાં. તેમાંથી ૩૦.૨૩ % વિદ્યાર્થીઓએ એકથી વધુ વખત નશો કરેલ હતો. જેમાં૨૫.૨% સિગારેટ૯.૬% દારૂ૩.૫ % ઓપીયમ૨.૮% હશીશ૨% હેરોઈન૦.૯%કોકેઈનઅને ૦.૫% એલેસડીનો નશો છોકરા અને છોકરીઓ કરતા હોવાની જાણ થઈ હતી. તેમાં છોકરાઓ કરતા છોકરીઓનું પ્રમાણ ઓછું હતું. કેટલાંક તો એક કરતા વધારે નશો કરતા જણાયા હતા.

આપણા દેશમાં સૌથી વધારે વ્યસન દારુનું જોવા મળે છે. ગાંધીજીના ગુજરાતમાં કાયદેસર દારૂબંધી છેપણ અહીં દારૂ આરામથી વેચાય છે અને મળી પણ જાય છે. મહાત્મા ગાંધીએ દારૂનો વિરોધ કરતા લખ્યું છેદારૂ આત્માનો વિનાશ કરીવ્યભિચારગાંડપણ અને વ્યભિચારકરાવે છે. દારૂડિયો દારૂને શું પીવાનોદારુ જ દારૂડિયાને પી જાય છે.

દારૂડિયાઓ દારૂ પીવાનાં બહાનાં શોધતા હોય છે. તે પીવા માટે કહે છેછૂ લેને દો નાજુક હોઠોં કોકુછ ઔર નહિજામ હૈ યેકુદરત ને હમ કો જો બક્ષા હૈવો સબસે હંસી ઇનામ હૈ યેવાહવાહદારૂને સૌથી હસીન સમજી તેનું સેવન કર્યા પછીનશામાં મસ્ત રહેનારો અંતે તો બરબાદ જ થઇ જાય છે.દારૂથી મગજને નુકસાન થઇ દ્રષ્ટિ ધૂંધળીબોલવાનું અસ્પષ્ટ બનેશ્વાસ રૂંધાયલીવરમાં લીવર-સિરોસીસહૃદયરોગપેટમાં ચાંદાઆંતરડામાં કેન્સરવગેરે અનેક બીમારીઓ થતી જણાય છે. તેને લીધે મગજકીડની અને હૃદયને નુકસાન થઈ આર્થિક નુકસાન થાય છે. આમ લાંબે ગાળે દારૂ જિંદગી બરબાદ કરી અંતે મોત નીપજાવે છે.

આપણા દેશમાં બીજું મોટું વ્યસન છેતમાકુ અને તેની પેદાશો જેવી કે ગુટકાબીડીઅને સિગારેટ વગેરે. આ તમામની એક વખત આદત પડી જાય પછી તેના વ્યસની બની જવાય છે. અને પછી તેના વગર ચેન જ નથી પડતું. આ તમામના સળંગ સેવનથી અંતે મોંનું કેન્સરજડબાનુંજીભનુંઅને ફેફસાનું કેન્સર થાય છેજે મોતનું કારણ બને છે.

નાની ઉંમરનાં બાળકો અને વિદ્યાર્થીઓ પણ આનું સેવન કરવા લાગ્યા હોવાથી આપણા દેશમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોંના અને ગળાના ૮૦% કેસો તમાકુનું સેવન કરતા જણાય છે. તેનાથી થોડો વખત મગજમાં નશો ચડવાથી ચિંતા દૂર થતી લાગે છેપણ તે ભ્રમ છે. એટલે જ સરકારે હવે દરેક સિનેમાઘરોમાં ફિલ્મ ચાલુ થતાં પહેલાં તમાકુથી થતા કેન્સરની સ્લાઈડો ફરજીયાત કરેલી છે:

બીજા બધાં વ્યસનો જેવાં કે કોકીનમોફીનહશીશ કે ગાંજો તો લેવા જેવા જ નથી. તેનાથી મગજ પરનો કાબૂ બિલકુલ જતો રહી માણસ દાનવ બની જાય છેભાન ગુમાવે છેઅને છેવટે મોતને ભેટે છે. ચાકોફી વગેરે પીણાંનું પણ વ્યસન લાગી જાય તો છૂટતું નથી. તેમાં રહેલું કેફીન મગજને ઉત્તેજિત કરતું હોવાથીચિંતામાં ફાયદો થતો જણાય છેવળી તેનાથી આળસ અને ઊંઘ દૂર થતાં ફાયદો જણાય છેવળી તેનાથી શરીરને બીજું કોઈ નુકસાન થતું નથીતેથી મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાનો વાંધો નથીપણ દર બે કલાકે ચા કે કોફીની આદત પડી જાય તે યોગ્ય નથી. તેવી જ રીતે સોપારીનું વ્યસન પણ લાંબા ગાળે મોં અને જડબાંનું કેન્સર કરતું હોવાથીછોડી દેવું ફાયદાકારક રહેશે.

દારૂસિગારેટબીડીતમાકુ વગેરે વ્યસનોનો ત્યાગ કરી તેનાથી મુક્તથઇ જવામાં જ મજા છે. તેને માટે પહેલાં મન મક્કમ કરો. પછી વિચારો કેઆનાથી મને ચિંતા કે તણાવમાં કોઈજ ફાયદો નથીતો વહેલી તકે આમાંથી મારે મુક્ત થવું જ પડશે.તેને માટે તમારા વ્યસની મિત્રો અને સગાઓનો સાથ છોડી દોઅને મક્કમ મન સાથે વ્યસનમુક્તિ કેન્દ્રમાં જઈ ડોક્ટર કરે તે સારવાર ચાલુ કરી દો. થોડા દિવસ વ્યસનની યાદ આવે તો કોફીચા,કે કોકો જેવા પીણાં લઈ મન વાળો. વ્યસન છૂટી જતા થોડા જ દિવસો માં તમને તેના લાભ જોવા મળશે. લોકો માન આપતા થશે અને કુટુંબીઓ પ્રેમ કરશે. ખોટા ખરચા બચી જતા તમારી આર્થિક સ્થિતિ સુધારશે.




લાસ્ટ સ્ટ્રોક : વ્યસનોથી મગજ મદહોશ થઈ ભાન ગુમાવતું હોવાથીચિંતા અને તણાવમાં તે સમય પૂરતી રાહત લાગે છેપણ એકવાર તેના વ્યસની થઇ ગયા પછીતેમાંથી છૂટવું મુશ્કેલ છે. વ્યસનોનાં શારીરિક નુકસાન એટલાં બધાં છે કે તેનાથી દૂર જ રહેવું ફાયદાકારક રહેશે.




------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.